શાળાના પુસ્તકમાં ગૌમાંસ ખાવાનો ઉલ્લેખ: વિવાદ વકરતા શાળા સંચાલકે માંગી માફી..
- 20 Mar, 2024
કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આવેલી એક શાળાના પુસ્તકમાં એક બેદરકારી ભરેલ વિવાદાસ્પદ લખાણથી વિવાદ સર્જાયો છે. શાળાના એક પુસ્તકમાં ગાય વિશેની માહિતી આપતા ફકરામાં ગૌમાતાના વિષયમાં બાળકોને માહિતી આપવામાં આવી છે, જેમાં એક અવર્ણનીય વાક્ય થી વાતાવરણ ગરમાયું છે. આ પુસ્તકના આ વાક્યમાં લખવામાં આવ્યુ છે કે ગાયનું માંસ ખાઇ શકાય છે, તેવા ઉલ્લેખથી વિધ્યાર્થીઓના વાલીઓ તેમજ હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે, અને તેમણે આ વાતને લઇને વિરોધ નોંધવતા શાળાએ માફી માગવી પડી છે.
કચ્છ જિલ્લાના ગાંધીધામની શાળાની પુસ્તકમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગાંધીધામની ‘ગો ગોયન્કા’ શાળાના નાના બાળકો માટેના એક અંગ્રેજી પુસ્તકમાં ગૌમાંસ ખાઇ શકાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાય અંગે લખાયેલા ફકરામાં આ વિવાદીત લખાણ લખાયુ છે.જેને લીને દૂધ આપનાર આપની ગાય માતાનું અપમાન થાય છે,એમ જણાવીને વાલીઓ અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો અને શાળામાં હોબાળો થઇ ગયો હતો. તેથી ઘટનાના પગલે અંતે શાળા સંચાલકે માફી માગી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ